Saturday, July 18, 2020

બ્લેન્કેટ ઓઢ્યા વગર રાત્રે ઊંઘ નથી આવતી? આ પાછળનું કારણ પણ જાણી લો

તમે પણ બ્લેન્કેટ ઓઢીને ઊંઘો છો?

રાત્રે શાંતિથી ઊંઘ આવે તે માટે બેડમાં જતા પહેલા દરેક વ્યક્તિ કંઈકનું કંઈ કરે છે. કોઈ વ્યક્તિ ઊંઘતા પહેલા સ્નાન કરે તો કોઈ પોતાની નિયત પોઝિશનમાં ઊંઘે. પરંતુ એક વસ્તુ તમને સામાન્ય રીતે મોટાભાગના લોકોમાં જોવા મળશે અને તે છે બ્લેન્કેટ ઓઢીને ઊંઘવાની ટેવ. ઘણા લોકો સારી ઊંઘ માટે બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરે છે. આવું કેમ? એવું તમે ક્યારેય વિચાર્યું છે?

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ રહ્યો જવાબ

જ્યારે આપણે ઊંઘીએ ત્યારે આપણા શરીરનું મુખ્ય તાપમાન ઘટી જાય છે અને સવારે 4 વાગ્યા સુધીમાં તો ઘણું ઓછું થઈ જાય છે. બ્લેન્કેટ આપણને આખી રાત ગરમાવો આપો છે અને આપણને કંપનથી બચાવે છે.

– બીજું એ કે સૂતી વખતે પોતાને બ્લેન્કેટથી ઢાંકવું એ સ્લીપ-વેક અપ સાયકલનો મહત્વનો ભાગ છે. તે આપણને નક્કી કરવામાં મદદ કરે છે કે ક્યારે આપણું શરીર ઊંઘવા માટે તૈયાર છે અને ક્યારે જાગવા માટે તૈયાર છે. નાનપણથી જ આ આદત આપણામાં વિકસિત થાય છે, જે મોટા થયા બાદ પણ યથાવત્ રહે છે.

બ્લેન્કેટ અને અનિદ્રા

જરનલ ઓફ સ્લીપ મેડિસિન એન્ડ ડિસઓર્ડરમાં 2015માં પબ્લિશ કરાયેલા સ્ટડીમાં ખુલાસો થયો છે કે, વજનમાં થોડો ભારે હોય તેવો બ્લેન્કેટ ઓઢીને ઊંઘવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. અમેરિકન જરનલ ઓફ ઓક્યુપેશનલ થેરાપીમાં 2020માં પબ્લિશ કરાયેલા સ્ટડી પ્રમાણે, તણાવ અને અનિદ્રાથી પીડાતા લોકોને બ્લેન્કેટ ખાસ મદદ કરે છે.

બ્લેન્કેટથી સુરક્ષિત હોવાનો અનુભવ થાય છે

સૌથી મહત્વનું એ છે કે, બ્લેન્કેટ આપણે રાત્રે સુરક્ષિત હોવાનું મહેસૂસ કરાવે છે. અંધારાનો ડર સામાન્ય ડર છે અને તેઓ ભયને છુપાવવા માટે બ્લેન્કેટનો ઉપયોગ કરે છે. જ્યારે આપણે મોટા થઈએ ત્યારે પણ તે યથાવત્ રહે છે. બ્લેન્કેટની અંદર આપણે પોતાને સુરક્ષિત અનુભવીએ છીએ.

બ્લેન્કેટ ખરીદતી વખતે રાખો આટલું ધ્યાન

જ્યારે તમે બ્લેન્કેટ ખરીદો ત્યારે તે બ્રિધેબલ મટીરિલ્સથી બનેલો હોય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે જ્યારે તમે તે માથા પર પણ ઓઢીને ઊંઘો તો સરળતાથી શ્વાસ લઈ શકો તેવો હોવો જોઈએ. આ સિવાય ઊંઘતી વખતે કમ્ફર્ટેબલ લાગે તે માટે સોફ્ટ પણ જોવો જોઈએ.



from Page Array – I Am Gujarat https://ift.tt/30pXZSO

No comments:

Post a Comment

Pages