Tuesday, July 14, 2020

ટીબીની વેક્સીનથી ટળી શકે છે કોરોના વાયરસનું ગંભીર સંક્રમણઃ JNU રિસર્ચર્સ

કોરોના વાયરસનો કહેર

કોરોના વાયરસના ફેલાવા વચ્ચે તેના ઈલાજ માટે વિવિધ દેશો દ્વારા શોધ કરવામાં આવી રહી છે. આ સાથે દવાની અસર વગેરે અંગે ખબરો આવતી રહે છે જોકે, આજ સુધી કોરોના વાયરસની રસી કોઈ દેશ શોધી નથી શક્યું. ભારતમાં પણ કોરોના વાયરસની રસીની શોધના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે કોરોના વાયરસને હરાવવા માટે કઈ દવાઓ કામ કરી શકે છે તેના પર પણ વિવિધ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક નવી વાત સામે આવી છે.

BCG વેક્સીન આશાનું કિરણ?

સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, ટીબીને ફેલાતો અટકાવવા માટે BCG (Bacille Calmette-Guerin) રસીનો ઉપયોગ કરાય છે જેનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા તથા મૃત્યુઆંક ઘટાડવામાં મદદરુપ થઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે. આ સ્ટડીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના રિસર્ચર્સ પણ જોડાયા છે.

રિસર્ચમાં શું બહાર આવ્યું?

ખબરો અનુસાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર મોલિક્યુલર મેડિસિનના ચેરપર્સન અને રિસર્ચના લેખક ગોવર્ધન દાસ કહે છે કે દુનિયાના ઘણાં દેશોમાં સામે આવ્યા પ્રમાણે 1000 કરતા વધારે સંક્રમણ કેસ પર કરાયેલા અભ્યાસમાં ખ્યાલ આવ્યો છે કે જે લોકોએ ભારત સિવાય અન્ય દેશોમાં BCGની વેક્સીન લીધી છે, તેઓ જેમણે વેક્સીન નથી લીધી તેમની સરખામણીમાં વધારે સુરક્ષિત છે.

શું BCG કોરોનાથી રક્ષણ આપશે?

એવું પણ માનવામાં આવે છે કે, કોરોના વાયરસ સામે BCG રસી લેનારા દેશોને વધારે રક્ષણ મળી રહ્યું છે. આ રસી લીધેલી હોય તેમને કોરોના વાયરસ સામે લડવામાં મદદ મળી રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. BCG રસી ટ્યુબેકોલોસીસ (TB)ની બીમારીથી બચાવવા માટે કરવામાં આવે છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, BCG રસી કોરોના સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા સાબિત થઈ શકે છે. જોકે આ વિષય પર રિસર્ચ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં વધી રહ્યો છે કેસનો આંકડો

ભારતમાં નવા અઠવાડિયાની શરુઆત સાથે 28,600 કરતા વધારે કેસના વધારા સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 9 લાખ થઈ ગઈ છે. પાછલા ત્રણ દિવસ પહેલા આ આંકડો 8 લાખ હતો. સોમવારે વધુ 538 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 23,695 થઈ ગયો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2AX3rUF

No comments:

Post a Comment

Pages