ગુજરાતમાં કોરોના ટેસ્ટ પ્રક્રિયા બની સરળ
અમદાવાદઃ રાજ્યમાં હવે કોઇ પણ વ્યક્તિ માત્ર એમબીબીએસ તબીબના પ્રિસ્ક્રિપ્શનને આધારે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે. અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી વિનંતીને પગલે ગુજરાત સરકારે મંગળવારે બહાર પાડેલાં નવા નિયમ મુજબ હવેથી સરકારી સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે નહીં. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અમે હવે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ માટેના નિયમો સુધારી દીધાં છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પહેલા ફક્ત MD ડોક્ટર્સ જ કોરોના ટેસ્ટ માટે કહી શકતા
અગાઉના નિયમ મુજબ માત્ર એમડી ડોક્ટર અને તે પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દી કે અત્યંત જરૂરી હોય તેવી સર્જરી, ડાયાલિસીસ કે અન્ય આરોગ્યલક્ષી સારવાર અને પ્રસૂતિના કેસમાં જે તે દર્દીના કોરોના ટેસ્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકતા હતા. આ પ્રિસ્ક્રિપ્શન જિલ્લા સ્તરની કે શહેર સ્તરની સમિતિને મોકલવાનું રહેતું અને મંજૂરી પછી ટેસ્ટ થતો હતો. હવે આ નિયંત્રણો રહેશે નહીં.
અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ કરી રહી રજૂઆત
અમદાવાદ મેડિકલ એસોસિએશને આ માટે સરકારને રજૂઆત કરી હતી કે તબીબો અને તેમનો સ્ટાફ સીધી રીતે લોકોની સારવારમાં હોવાથી તેમના પર કોરોનાનું જોખમ રહેલું છે. તેવાં કિસ્સામાં તમામ તબીબો અને અન્ય આરોગ્ય સ્ટાફને કોરોનાના પરીક્ષણ માટે સરળતાથી મંજૂરી મળે તે જરૂરી છે. આ રજૂઆતને ધ્યાને લઇને આ નિર્ણય કરાયો છે.
હવે MBBS ડોક્ટર્સ પણ જરુર જણાયે કોરોના ટેસ્ટ માટે કહી શકશે
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ કહ્યું કે, ‘એસોસિએશને પહેલા જ સંબંધીત ઓથોરિટી પાસે અપીલ કરી હતી કે રાજ્યમાં MBBS ડોક્ટરને પણ કોરોના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખવાની છૂટ આપવામાં આવે કારણ કે દર્દીઓ માટે પણ આ ડોક્ટર્સ જ પહેલા કોન્ટેક્ટ હોય છે. ત્યારે સરકારના આ પગલાને અમે આવકારીએ છીએ. આનાથી વધુ લોકોને ફાયદો થશે અને જલ્દીથી ટેસ્ટ થઈ શકશે જેના કારણે જલ્દી સારવાર મળતા લોકો સ્વસ્થ થશે.’
અન્ય 4 પરિસ્થિતિમાં પણ પૂર્વ મંજૂરીની અનિવાર્યતા દૂર કરી
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘શહેરી વિસ્તાર સિવયા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખાવવા MD ડોક્ટર્સ શોધવા એક મુશ્કેલભર્યું કામ છે.’ આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી ગાઈડલાઇન્સમાં અન્ય ચાર પરિસ્થિતિમાં પણ કોવિડ-19 ટેસ્ટ માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીની જરુરિયાત ન હોવાનું કહેવામાં આવ્યું છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2WqrF17
No comments:
Post a Comment