Tuesday, July 21, 2020

MPના ગવર્નર લાલજી ટંડનનું નિધન, પીએમ મોદીએ તેના કામને યાદ કરીને શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થઈ ગયું છે. તેમના દીકરા આશુતોષ ટંડને આ અંગે જાણકારી આપી છે. આ પહેલા સોમવારે ખબર આવી હતી કે લાલજી ટંડનની તબિયત વધારે નોજુક છે અને તેઓ વેન્ટિલેટર પર હતા. તેમને લખનૌમાં મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાલજી ટંડન, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના ઘણાં નજીક મનાતા હતા. BSPના અધ્યક્ષ માયાવતી પણ લાલજી ટંડનને પોતાના ભાઈ માનતી હતી અને તેમને રાખડી બાંધતી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

લાલજી ટંડનના નિધનના સમાચાર મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “લાલજી ટંડનને તેમણે સમાજ માટે કરેલા કામ માટે યાદ રખાશે. તેમણે ઉત્તરપ્રદેશમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે મહત્વની કામગીરી કરી છે, સતત સમાજ ઉત્થાન માટે તત્પર રહ્યા છે. ઈશ્વર તેમના દિવંગત આત્માને શાંતિ આપે.”

લાલજી ટંડનનું નિધન 85 વર્ષની ઉંમરમાં થયું છે. તેઓ લખનૌના સાસંદ પણ રહી ચૂક્યા છે. તબિયત બગડ્યા બાદ શિવરાજસિંહ તેમને મળવા માટે લખનૌ ગયા હતા. આ પછી સતત તેમના પરિવારજનોના સંપર્કમાં હતા. શિવરાજસિંહ ચૌહાણ લાલજી ટંડનના પરિવારના સંપર્કમાં રહેતા હતા.

NBT



from Page Array – I Am Gujarat https://ift.tt/32FFvRc

No comments:

Post a Comment

Pages